App
Better experience on our App
OPEN
SMVS
આફરો ઉતાર્યો

એક વખત સ્વામીશ્રી સંતોએ સહિત કમળાપુર પધાર્યા હતા, તે વખતે મંદિરે જતાં માર્ગમાં એક કૂતરું બે દિવસથી માંદું હોવાથી સૂતેલું. તેને આફરો ચડેલો હતો. સ્વામીશ્રીએ ચાલતા - ચાલતા તેની ઉપર કૃપાદૃષ્ટિ કરી ને આગળ ચાલ્યા. પાછળ આવતા હરિભકતોએ સ્વામીશ્રીના ચરણની રજ લઇ તે કૂતરા માથે નાંખી. તરત જ તે કૂતરાને આફરો મટી ગયો ને તે સાજું થઇ ચાલવા માંડયું. જેમની ચરણની રજનો આટલો પ્રતાપ તો પોતે કેટલા સમર્થ હશે ?