પરચા - ૧૦૧

ગામ બામણવાના ગોવાભાઈએ બાપાશ્રીના અંતર્ધાન થયાની વાત સાંભળી ત્યારે અતિશે શોકાતુર થઈ ગયા. તેમને બાપાશ્રીએ દિવ્ય રૂપે દર્શન દઈને કહ્યું જે, આમ શોકાતુર કેમ થઈ ગયા છો ? અમો સદાય સત્સંગમાં છીએ. એમ કહીને અદૃશ્ય થઈ ગયા. ।। ૧૦૧ ।।