પરચા - ૧૦૩
રાત્રિએ વૃષપુરના મૂળજી પર્વતનાં ઘરનાં બાઈ તેજાએ ખાવાનું રાંધ્યું નહિ અને રોતાં રોતાં એમ બોલ્યાં જે, મારી ગાયનું દૂધ બાપાશ્રી નિત્ય પીતા તે હવે કોણ પીશે ? એટલામાં તો બાપાશ્રી એના ઘરમાં આવીને ખાટલો ઢાળીને તે ઉપર બિરાજ્યા અને બોલ્યા જે, લાવો દૂધ-સાકર, ઊનાં કરો. અમે ગઈ રાત્રિ અગિયાર વાગે પીધું હતું; લાવો આજ પીએ. પછી દૂધ આપ્યું તે બાપાશ્રીએ અતિ હેતે કરીને પાન કર્યું ને પછી અદૃશ્ય થઈ ગયા. ।। ૧૦૩ ।।