SMVS































































































































































































































































































પરચા - ૫૬

એક સમયે કેસરાભાઈ નારાયણપુર ગયા, ત્યાં રાત્રિએ સૂતા હતા તેમને બાપાશ્રીએ દર્શન દીધું ત્યારે તે ઊઠીને બાપાશ્રીને મળવા ગયા. ત્યાં તો બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા, એટલે તે નિરાશ થઈને બેઠા. પછી સવારે ઊઠીને વૃષપુર બાપાશ્રી પાસે ગયા ને મળ્યા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, રાત્રિએ કેમ ન મળ્યા ? ત્યારે કેસરાભાઈએ કહ્યું જે, બાપા ! હું તો તમને મળવા ઘણોય ઊઠ્યો, પણ તમે સંતાઈ ગયા. પછી હું કોને મળું ? પણ, તમે રાત્રે નારાયણપુરના મેડા ઉપર શી રીતે આવ્યા ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, જ્યારે કોઈક હેતવાળા હરિભક્ત અતિ હેતે કરીને સંભારે ને ચિંતવન કરે ત્યારે મોટા સંકલ્પ કરે તે સંકલ્પ મૂર્તિમાન થઈને દર્શન આપે, એમ વાત કરી. ।। ૫૬ ।।