પરચા - ૯૮
સંવત ૧૯૮૪ના અષાડ સુદ ૪ને રોજ ગામ કણભામાં આશાભાઈને બાપાશ્રી કેરીનો રસ, પૂડલા આદિ ભોજનનો થાળ લાવેલા એવાં દર્શન દઈને કહ્યું જે, જમો. ત્યારે આશાભાઈ કહે, અત્યારે આ થાળ લઈને આપ ક્યાંથી પધાર્યા ? ત્યારે બાપાશ્રી કહે જે, તમને જમાડવા આવ્યા છીએ, તે જમો. પછી આશાભાઈ જમ્યા. ત્યારે બાપાશ્રી કહે જે, હવે અમે જઈએ છીએ; એમ કહી અદૃશ્ય થઈ ગયા. પછી સમાચાર થોડા દિવસ પછી જ્યારે જાણ્યા, ત્યારે સર્વ વાત સત્ય થઈ. ।। ૯૮ ।।