પરચા - ૧૦૨

નારાયણપુરવાળાં સાંખ્યયોગી અમરબાઈ બાપાશ્રીના વિયોગથી ઘણાં દિલગીર થતાં હતાં. તે સમયે બાપાશ્રી તથા ધનજીભાઈ બંને દિવ્ય તેજોમય દર્શન આપીને બોલ્યા જે, શોક શું કરો છો ? લાવો દૂધ પીએ. પછી દૂધ લાવ્યાં તે પીને સર્વને શાંતિ પમાડી અદૃશ્ય થઈ ગયા. ।। ૧૦૨ ।।