પરચા - ૮૧

બાપાશ્રીનાં દીકરી રાધાબાને મંદવાડ ઘણો હતો ને દેહ રહે તેમ નહોતું. પછી દાક્તર મણિલાલે બાપાશ્રીની પ્રાર્થના કરી જે રાધાબાને રાખો તો અમારે આપની સેવા-સમાગમનું સુખ આવે. પછી બાપાશ્રી બોલ્યા જે, રાધાબાને સારું થશે. પછી બીજે દિવસે બાપાશ્રીએ તે સર્વેને કહ્યું જે, પરચા શું ? આ રાધાબાનો દેહ રહે તેમ નહોતો; તે રાખ્યો એ જ પરચો છે. ।। ૮૧ ।।