પરચા - ૮૪

એક સમયે ગામ બળોલમાં બાપાશ્રી પધાર્યા હતા. ત્યાં એક કોળીએ પ્રાર્થના કરી જે, મને બહુ તાવ આવે છે તે કૃપા કરીને મટાડો. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, કાલે અમે તને ધામમાં તેડી જઈશું. પછી બીજે દિવસે બાપાશ્રી તેને દર્શન આપીને તેડી ગયા. ।। ૮૪ ।।