પરચા - ૨૪

પાટડીના ઠક્કર ત્રિભોવનભાઈનાં પત્ની માંદાં હતાં. તેમને ત્રણ દિવસ લાગટ શ્રીજીમહારાજે અને બાપાશ્રીએ ભૂરા હાથી ઉપર બેઠેલાં એવાં દર્શન આપ્યાં. ત્યારે તે બાઈએ કહ્યું જે, મને તેડી જાઓ. પછી બાપાશ્રીએ કહ્યું જે, હમણાં નહિ, એમ કહી અદૃશ્ય થઈ ગયા. ।। ૨૪ ।।