પરચા - ૫૧
વૃષપુરમાં આએશપીર સેવાનાથજીએ દેહ મૂક્યો ત્યારે તેના શિષ્ય આએશપીર બાળનાથજીએ બાપાશ્રીની પ્રાર્થના કરી જે, મારી પાસે પૈસા નથી, તેમ કાંઈ સગવડ નથી, માટે આપ કૃપા કરો તો મને ગાદી મળે. પછી બાપાશ્રીએ કહ્યું જે, ભૂજ પરબારા હજૂરશ્રી પાસે જાઓ; તમને ગાદી આપશે. પછી તે ભૂજ ગયા ને રાવસાહેબે તેને ગાદી આપવાનો હુકમ કર્યો. ત્યારથી બાપાશ્રીને બહુ મોટાપુરુષ જાણીને જ્યારે મળે ત્યારે પ્રાર્થના કરી રાજી કરતા. ।। ૫૧ ।।