SMVS































































































































































































































































































પરચા - ૭૪

એક સમયે ગોધાવીના માસ્તર જગન્નાથ વૃષપુર ગયા હતા. તે પાછા ગોધાવી જવા તૈયાર થયા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, કાલે એકાદશીને દિવસે જજો. ત્યારે તે બોલ્યા જે મારે રજા પૂરી થઈ ગઈ છે, તેથી મારો પગાર કપાઈ જાય. એમ કહીને ચાલ્યા તે આગબોટ ઊપડી જવાથી તુણે ખમવું પડ્યું. તે વાત વૃષપુરમાં બાપાશ્રીએ સભામાં કરી જે, આ ગોકળભાઈ માસ્તર આજ જાય છે તેમની સાથે માસ્તર જગન્નાથ પહોંચશે, કેમ જે તુણે બોટ ન મળવાથી રોકાઈ ગયા. પછી હરિભક્તોએ કહ્યું જે, ત્યારે તો એમનો પગાર કપાશે. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, પગાર નહિ કપાય. ।। ૭૪ ।।