પરચા - ૮૦
સંવત ૧૯૭૮ની સાલમાં વઢવાણના દાક્તર નાગરદાસભાઈ તથા તેમના ભાઈ મણિલાલ તથા અસલાલીના રાવસાહેબ બાલુભાઈ આદિ વૃષપુર ગયા હતા. પછી તે રામપુર જવા તૈયાર થયા, ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, તમે સર્વે નાહીને પૂજા કરીને જાઓ. પછી તે સર્વે પૂજા કરીને ચાલ્યા તે રામપુરની ગંગામાં મણિલાલભાઈ લપસી પડ્યા ને વાગ્યું તેથી દેહનું ભાન ન રહ્યું. પછી તેમને વૃષપુર લાવ્યા, ત્યારે બાપાશ્રીએ વાગેલા ઉપર હાથ ફેરવ્યો કે તરત દુઃખાવો બંધ થઈ ગયો ને દંડવત કરી શક્યા. પછી ખબર પડી કે નાહ્યા; પૂજા કર્યા વિના ગયા હોત તો નાહવાનું કે પૂજા કરવાનું થઈ શકત નહીં. ।। ૮૦ ।।