પરચા - ૯૭

સંવત ૧૯૮૪ના જેઠ માસમાં બાપાશ્રી માધાપુરના યજ્ઞમાં પધાર્યા હતા. તે ગામના કલ્યાણ ભક્તને ઘેર બાપાશ્રી પધાર્યા, તે સમયે તેના ઘરમાં બાપાશ્રીની છબી જોઈને પોતે બોલ્યા જે, ઓ છબી લાવો. પછી તે ભક્તે આપી. ત્યારે બાપાશ્રી તે છબી ઉપર ત્રણ વાર હાથ ફરવીને બોલ્યા જે, હવે આનાં દર્શન કરજો, પણ આ મૂર્તિનાં નહિ થાય; એમ ત્રણ વાર બોલ્યા. એવી રીતે મર્મમાં અતિ પ્રેમી ભક્તોને કોઈ કોઈ વાર પોતાનું અંતર્ધાનપણું અગાઉથી સૂચવી દેતા. ।। ૯૭ ।।