પરચા - ૫૨

રામપુરમાં ધનબા ડોશીના ભત્રીજા કાનજીએ દેહ મૂક્યો, તે વખતે બાપાશ્રીએ વૃષપુરના મંદિરમાં પૂ. કેશવપ્રિયદાસજી તથા શ્રીરંગદાસજીને કહ્યું જે, મહારાજ તથા અમે અત્યારે કાનજી ભક્તને ધામમાં મૂકી દીધા. પછી સાંજના રામપુરના હરિભક્તો વૃષપુર ગયા. તેમણે કહ્યું જે, કાનજી ભક્તને મહારાજ તથા બાપાશ્રી દિવ્ય ચમત્કાર જણાવી તેડી ગયા. તે એવાં ઘણાંકને દર્શન થયાં. ।। ૫૨ ।।