પરચા - ૬૦
લુણાવાડાના રણછોડલાલભાઈ બહુ માંદા હતા. તેમને એમ વિટંબણા થતી જે, શ્રીજીમહારાજ તથા મોટાનાં દર્શન થતાં નથી, તે મારી સંભાળ કેમ લેતા નહિ હોય ? પછી બાપાશ્રીએ તેમનાં ઘરનાં રુક્ષ્મણીબાઈને દર્શન આપીને કહ્યું કે, તમારા પતિ વિટંબણા કરે છે ને જમતા કેમ નથી ? ત્યારે તે બાઈ કહે જે, જમે છે એટલે મરડો આવે છે તે બીકે જમતા નથી. પછી બાપાશ્રીએ કહ્યું જે આ ફેરે એમને તેડી જવા નથી અને આ એલચી લો. તે જમાડીને પછી અનાજ જમાડજો. હવેથી મરડો નહિ આવે. પછી તેમણે તે પ્રમાણે કર્યું, તેથી જમાણું અને રોગ મટી ગયો. ।। ૬૦ ।।