પરચા - ૧૧૧
એક સમયે ગામ વૃષપુરમાં રામજી હીરા રાત્રિએ વાડીએ ગાડા ઉપર સૂતા હતા. તેને ૧૨ વાગે બાપાશ્રી હાથમાં લાકડી લઈને ચાલ્યા આવે છે એવાં દર્શન થયાં. પછી પાસે આવીને બોલ્યા જે, બચ્ચા ! સૂતો છે કે ? પછી રામજીભાઈ બેઠા થઈને બાપાશ્રીને પગે લાગ્યા એટલામાં બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. ।। ૧૧૧ ।।