પરચા - ૧૦૬
બાપાશ્રીના કાર્ય ઉપર પારાયણ બેસારી હતી, તે વખતે સોની મગનલાલ બાપાશ્રીના વિરહને લીધે શોકાતુર થઈને બેઠા હતા. તે સમયે કણભાવાળા આશાભાઈને બાપાશ્રી દર્શન દઈને બોલ્યા જે, આ મગન ભૂજથી આવ્યો છે તે ભૂખ્યો હશે માટે આપણા ઘેર જઈને જમાડી આવો. પછી આશાભાઈ ઘેર જઈ જમાડી આવ્યા. ।। ૧૦૬ ।।