પરચા - ૨૫
એક વખત બાપાશ્રી વૃષપુરના મંદિરમાં વાતો કરતા હતા. ત્યાં શેદલાના પુરાણી પ્રાણજીવનભાઈને ડોલું આવ્યું. તેમાં પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવી. પછી તેમણે જાગીને બાપાશ્રીને કહ્યું જે, સ્વપ્ન આવે તે સાચું હોય કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, આ સ્વપ્નું સાચું. એમ પૂર્વજન્મનું જ્ઞાન તેમણે ક્ષણમાત્રમાં કરાવી દીધું. ।। ૨૫ ।।